સાંપ્રદાયિક શક્તિઓના ઉદય પર અદાલતો મૌનઃ જસ્ટિસ એ.પી. શાહ

0
53

નવી દિલ્હી, ૨૫મા ડીએસ બોરકર સ્મારક વ્યાખ્યાન દરમિયાન ‘ભારતનું વિઝનઃ ૨૦૪૭’ વિષય પર વ્યાખ્યાન આપતી વખતે, જસ્ટિસ (નિવૃત્ત) એ.પી. શાહે દેશના અનેક સળગતા મુદ્દાઓ પર મહત્ત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી. કાર્યક્રમમાં, તેમણે દેશમાં ઉગ્રવાદી વિચારધારાને મજબૂત કરવા પર ચિંતા વ્યક્ત કરી, જેણે સમગ્ર દેશમાં મુસ્લિમો પ્રત્યે નફરત, ધ્રુવીકરણ અને તિરસ્કારની સંસ્કૃતિમાં વધારો કર્યો છે. જસ્ટિસ (નિવૃત્ત) એ.પી. શાહ દિલ્હી હાઇકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે અને કાયદા પંચના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેમના લેક્ચરમાં તેમણે લઘુમતીઓ અને ખાસ કરીને મુસ્લિમો પ્રત્યેના ભેદભાવપૂર્ણ અને સાંપ્રદાયિક વલણ પર ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે તેમણે અદાલતો જેવી ઔપચારિક સંસ્થાઓ નબળી પડી જવાનો અને તેમનામાં લોકોનો વિશ્વાસ ગુમાવવાનો ભય પણ વ્યક્ત કર્યો હતો. નિવૃત્ત જસ્ટિસ એ.પી. શાહે આ ગૂંગળામણભર્યા વાતાવરણમાં આશા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, જો કે તાજેતરના સમયમાં વિભાજનકારી વલણો પ્રભાવશાળી બન્યા છે, તેમ છતાં કોમવાદનું જીવન બહુ લાંબું નથી. ક્ષણિક અશાંતિ પછી સમાજ સ્વાભાવિક રીતે શાંતિ અને સંતુલન તરફ આગળ વધે છે. તેમના પ્રવચનમાં, તેમણે કહ્યું, હું ભારતમાં અસહિષ્ણુ અને સાંપ્રદાયિક શક્તિઓના ઉદ્‌ભવને નોંધું છું, જે આંશિક રીતે, અગાઉની સરકારો પ્રત્યેના મોહભંગને કારણે શક્ય બન્યું છે. કાનૂની માળખું સમાજમાં સહજ દુરુપયોગ અને દુર્વ્યવહારના અવકાશને વધારી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here